મોરબીથી રાજપર કુંતાસી વચ્ચે નિયમિત બસ દોડાવવા માંગ

- text


બસો અનિયમિત આવતી હોવાથી વિદ્યાર્થીઓ દ્વારા એસટી તંત્રને રજુઆત

મોરબી : મોરબીથી રાજપર કુંતાસી ગામ વચ્ચે અનિયમિત રીતે દોડતી એસટી બસોને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય સત્વરે બસ ટાઈમ ટેબલ મુજબ દોડે તેવી વ્યવસ્થા ગોઠવવા વિદ્યાર્થીઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

જાણવા મળ્યા મુજબ મોરબીથી રાજપર કુંતાસી વચ્ચે દરરોજ સવારે ૮ કલાકે બપોરે ૧.૩૦ કલાકે સાંજે ૫ વાગ્યે અને રાત્રે ૮ વાગ્યે એસટી બસ ફાળવવામાં આવી છે પરંતુ કાયમી રીતે બસ અનિયમિત આવતી હોય ગ્રામજનોને મુશ્કેલી વેઠવી પડે છે જેમાં ક્યારેક તો એસટી બસ આવતી જ ન હોય લોકો પારાવાર હાલાકી ભોગવતા હોય વિદ્યાર્થીઓ દ્વારા તાકીદે સમયપત્રક મુજબ બસનું આવન જાવન થાય એવી વ્યવસ્થા ગોઠવવા મોરબી ડેપો મેનેજર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

- text

- text