મોરબી દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા નવમો સમુહલગ્નોત્સવ યોજાયો

- text


મોરબી : મોરબી દશનામી ગૌસ્વામી સમાજ દ્વારા નવમો સમુહલગ્નોત્સવ યોજાયો હતો જેમાં ૮ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.

દશનામી ગૌસ્વામી સમાજ મોરબી દ્વારા રામધન આશ્રમ મહેન્દ્રનગર ખાતે નવમા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું જેનું દીપ પ્રાગટય કરી રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી દેવી દ્વારા સમૂહ લગ્નમાં ભાગ લેનાર ૮ નવદંપતિઓને આશીર્વચન પાઠવ્યા હતા એ પ્રસંગે જેતપરના મહંત બલરાજગીરી સહિતના સંત મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ સમુહલગ્નોત્સવમાં ભાગ લેનાર નવ દંપતિઓને દશનામ ગૌસ્વામી સમાજ તરફથી સોના ચાંદીના દાગીના તેમજ ઘરવખરીની તમામ ચીજ વસ્તુઓ ભેટ આપવમાં આવી હતી.

સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રવીણભારતી, ચંદ્રકાન્તભારતી, અમિતગિરી, તેજસગીરી, પંકજગીરી, ડો. જયદીપ ગોસાઈ, ભરતગીરી, અરવિંદગીરી અને રાજેશપરી સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

- text