મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં શહીદોની સ્મૃતિમાં બે મીનીટ મૌન પળાયુ

- text


જિલ્લા સેવાસદનમાં બેસતી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા

મોરબી : ભારતના સ્વતંત્રય સંગ્રામમાં જે શહીદવીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં આજે મોરબી જિલ્લા કલેકટર કચેરી સભાખંડમાં આજે ૩૦મી જાન્યુઆરીના રોજ સવારે ૧૧ વાગ્યે બે મીનીટનું મૌન પાળવામાં આવેલ હતું. આમ સ્વદેશ માટે પ્રાણની આહુતી આપનારા શહીદવીરોનું ઋણ અદા કરવામાં આવ્યું હતું કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટરશ્રી આઈ.કે.પટેલ ની ઉપસ્થિતીમાં જિલ્લા સેવા સદનની સર્વે કચેરીના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text