ટંકારાની એમ.પી.દોશી વિદ્યાલયમાં શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો

- text


ટંકારા : ટંકારાની લતિપર ચોકડી પાસે આવેલી સૌથી જુની શાળામાની એમ.પી.દોશી. વિદ્યાલયમાં ફરજ બજાવતા શિક્ષક એસ.પી. અંદરપા ની વય મર્યાદા પૂરી થતા વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, અને એસ.પી. અંદરપાએ શાળામાં થયેલા મીઠા અનુભવો વાગોળ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી જીલ્લાના ડી.ઈ.ઓ.દવે શિક્ષણ વિભાગ ના રાઠોડ, શાળાના ટ્રસ્ટી અને ભુતપૂર્વ આચાર્ય હસમુખજી પરમાર, વાડીભાઈ ગાંધી ના પરીવાર માથી રમેશભાઈ ગાંધી, લલિત આસર, આચાર્ય દવે વિદાય લિધેલા નમેરા. એચ એમ દવે પ્રભુ ચરણ આશ્રમ ના મહંત સહિત ના ઉપસ્થિત રહીને એમ.પી.અંદરપાની કામગીરીને બિરદાવી હતી. આ સાથે શાળાના ધો.૧ થી ૧૨ સુધીના ઉર્ણિત થયેલા વિદ્યાર્થીઓને એમ.પી.અંદરપાના હસ્તે શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યા હતાં જ્યારે વિદાય હમેશા વશમીજ હોઈ છે તેથી વિધાર્થી અને શિક્ષકો પણ આંખ માથી આંસુ રોકી શક્યા ન હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક કાસમ હિંગોરાએ કર્યું હતું. કાર્યક્રમ સફળ બનાવવા રમાબેન રાઠોડે ભારે જહેમત ઉઠાવી હતી.

- text