મોરબી : ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓ માટે હેલ્પલાઇન

- text


મોરબી : મોરબીના નેની વાવડી સ્થિત માધવ અંધ અપંગ ગૌશાળા દ્વારા મકરસંક્રાંતિએ પતંગ દોરાથી ઘાયલ પક્ષીઓ માટે ખાસ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.

માધવ અંધ અપંગ ગૌશાળા દ્વારા જીવદયા અભિયાન અંતર્ગત મકરસંક્રાંતિએ મોરબી શહેર અને આજુબાજુના વિસ્તારમાં ક્યાંય પણ ઘાયલ અવસ્થામાં પક્ષી જોવા મળે તો ફોન ૯૯૦૯૧ ૭૨૭૮૨ અથવા ૮૧૫૩૮ ૪૪૪૦૩ ઉપર સંપર્ક કરવા લોકોને અપીલ કરવામાં આવી છે.

જો મોરબી શહેર કે આજુ બાજુમાં કોઈ પણ જગ્યા ઘાયલ પક્ષી જોવા મળે તો ઉપરોક્ત નંબર પર ફોન કરતા સંસ્થા દ્વારા ઘાયલ પક્ષીને લઈ જવામાં આવશે.

- text

- text