મોરબીમાં પૂ.હરિરામબાપાની પુણ્યતિથિ નિમીતે ધુન-ભજન અને મહાપ્રસાદનું આયોજન કરાયું

- text


જલારામ મંદિર ખાતે પૂ.છોટે જલારામ બાપાની પુણ્યતિથિ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં ભાવિકજનો જોડાયા

મોરબી : મોરબી જલારામ મંદીર ખાતે પૂ. હરિરામ બાપા ની પૂણ્યતિથી નિમિતે ધૂન ભજન તેમજ સર્વજ્ઞાતિય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદીર ખાતે છોટે જલારામ એવા પૂ. હરીરામ બાપા ની પૂણ્યતિથી નિમિતે બાપા ની પૂજા અર્ચના, ધૂન ભજન તેમજ સર્વજ્ઞાતિય મહાપ્રસાદ યોજાયો. જેમા ધારાસભ્ય બ્રિજેશ ભાઈ મેરજા, સામાજીક આગેવાન મનોજ ભાઈ પનારા, દીનેશભાઈ પારેખ, મહેશ ભાઈ રાજ્યગુરુ સહીત ના આગેવાનો એ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી તેમજ બહોળી સંખ્યા મા સર્વજ્ઞાતિય ભક્તજનો એ પ્રસાદ નો લાભ લીધો હતો.

કાર્યક્રમ ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, રાજુભાઈ ગીરનારી, વિપુલ પંડીત, હરીલાલ દસાડીયા, હરેશ ભાઈ ભટાસણા, ચિરાગ વોરા, ચિરાગ રાચ્છ સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી.

- text