મોરબી જિલ્લા અદાલત દ્વારા ત્રણ દિવસીય યોગ શિબિરનું આયોજન

- text


૨૮ થી ૩૦ નવેમ્બર દરમિયાન યોજાશે યોગ શિબિર

મોરબી: મોરબી જિલ્લા અદાલત અને લીગલ કાનૂની સેવા સતા મંડળ દ્વારા આગામી ૨૮ મી નવેમ્બરથી મોરબી ખાતે ત્રી દિવસીય યોગ શિબિરનું આયોજન કરાયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લા અદાલત અને લીગલ કાનૂની સેવા સતા મંડળ દ્વારા આગામી તા.૨૮ થી ૩૦ સુધી સવારના ૭ થી ૮ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.આ યોગ શિબિરમાં યોગીક ક્રિયાઓ,પ્રાણાયામ,ધ્યાન,સરળ આસનો જેવા યોગ શીખાવાવમાં આવશે જેથી રોજીંદા જીવનમાં ઉત્સાહ,આરોગ્ય જળવાય રહે અને શારીરિક-માનસિક તંદુરસ્તીમાં વધારો થાય તથા નાના-મોટા રોગો દુર થાય,સ્ટ્રેસ ફ્રી જીવન જીવી શકાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ યોગ શિબિરમાં તમામ જજિસ,કોર્ટનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહેશે આ યોગ શિબિરનો દરેક સભ્યોએ લાભ લેવા મોરબી બાર એસો.ના પ્રમુખે અનુરોધ કર્યો છે.તેમજ આ શિબિરના સંચાલક તરીકે વકીલ મંડળના સભ્ય નિર્મળસિંહ જાડેજા સેવા આપશે.

- text