મોરબીમાં કાળી ચૌદશે દાઝેલી પરણીતાનું સારવાર દરમિયાન મોત

- text


મોરબી :મોરબીના રંગપર બેલા રોડ પર આવેલ સીરામીક ફેકટરીના કવાટર્સમાં ગત તા.૧૮ ને કાળી ચૌદશના રોજ દાજી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના બેલા રંગપર રોડ પર વેલેન્સી સિરામિકમાં રહેતી રીટાબેન રાકેશભાઈ ઉ.૨૩ નામની પરિણીતા ગત તા. ૧૮ ના રોજ પોતાની ઓરડીમાં રસોઈ બનાવતી વેળાએ દાઝી જતા તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું. આ મામલે મોરબી તાલુકા પોલીસે પરિણીતાના અકસ્માત મૃત્યુની ઘટના અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text