અંતે મોરબી સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક ડો.દુધરેજીયાની બદલી

- text


છેલ્લા ૧૫ વર્ષ જેટલા સમયથી એક જ સ્થળે ફરજ બજાવવાનો અનોખો રેકોર્ડ

મોરબી:મોરબી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૫ વર્ષ જેટલા સમયથી ફરજ બજાવતા તબીબ અધિક્ષક ડો.દુધરેજીયાની અંતે બદલી થઈ છે.
રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આરોગ્ય અને તબીબી સેવા તજજ્ઞ સેવા હેઠળ ફરજ બજાવતા આઠ તજજ્ઞ વર્ગ-૧ ની બદલી કરવા હુકમ કર્યો છે જે અંતર્ગત મોરબી સિવિલમાં ફરજ બજાવતા પી.કે.દુધરેજીયાને રાજકોટ પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે બદલી કરવામાં આવી છે.
જોકે મોરબી સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક તરીકે ડો.દુધરેજીયાની બદલી કરી તેમના સ્થાને કોઈ અધિકારીની નિમણુંક કરવામાં આવી નથી ત્યારે તબીબોની કાયમી ઘટ ધરાવતી મોરબી સિવિલમાં હવે તબીબ અધિક્ષકની પણ ઘટ પડી છે !!

- text

- text