મોરબીની સોસાયટીઓનો દસ્તાવેજ પ્રશ્ન ઉકેલવા ખાતરી આપતા મુખ્યમંત્રી

- text


ધારાસભ્યની આગેવાનીમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને સફળ રજુઆત

મોરબી:મોરબીના ૩૮ વર્ષ જુના જુદી-જુદી આઠ સોસાયટીનો દસ્તાવેજ પ્રશ્ન તુર્તમાં ઉકેલાય જાય તેવા સંકેતો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપ્યા હતા.
ગઈકાલે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં દસ્તાવેજ અધિકાર મંચના આગેવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નિવાસ સ્થાને મળ્યા હતા અને મોરબીના લોકોનો દસ્તાવેજ પ્રશ્ને ઉકેલવા વિસ્તાર પૂર્વક રજુઆત કરતા મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ તુરત જ સંબંધિત વિભાગોને ઘટતું કરવા સૂચના આપી હતી.
વધુમાં દસ્તાવેજ અધિકારમંચના આગેવાનો અને ધારાસભ્યને સાથે રાખી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમના અગ્રસચિવને આ બાબતે તાત્કાલિક કાર્ય કરવા અને ઘટતું કરવા સૂચના આપી હતી.
આમ,હોવી મોરબીનો ૩૮ વર્ષ જૂનો પ્રશ્ન મુખ્યમંત્રી કક્ષાએ પહોંચતા ટુક સમયમાં જ હજારો લોકોને સ્પર્શતા આ પ્રશ્નનું નિરાકરણ આવે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.

- text

- text