મોરબીમાં લોહાણા અને બ્રહ્મ સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન યોજાયો

- text


લોહાણા સમાજના 168 અને બ્રહ્મ સમાજના 105 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

મોરબીમાં લોહાણા સમાજ અને બ્રહ્મ સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં લોહાણા સમાજના 168 અને બ્રહ્મ સમાજના 105 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું.
રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા લોહાણા વિદ્યાર્થીભવન વસંત પ્લોટ ખાતે લોહાણા સમાજના તેજસ્વી છાત્રોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિશોરભાઈ વાલજીભાઇ હિરાણી, કાંતિલાલ નારણદાસ માનસેતા સહિતના સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સમાજ શ્રેષ્ઠીઓના હસ્તે લોહાણા સમાજના ધો.9 થી કોલેજ સુધીના 168 તેજસ્વી છાત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ધામ ખાતે સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો હતો, આ પ્રસંગે આલ્માનંદજી મહારાજ, અશ્વિનભાઈ રાવળ, અનિલભાઈ મહેતા, ભુવનભાઈ પંડ્યા, મનોજભાઈ પંડયા સહિતના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોના હસ્તે બ્રહ્મ સમાજના 105 તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરાયું હતું.

- text