- text
ટંકારા : ટંકારામાં 130 વર્ષ જુના પાશ્ચવ દાદાના દેરાસર ખાતે આજે પર્યુષણના સવંતસરીની વિષેશ આંગી શણગાર શ્રી મહાવીર મહીલા મંડળ દ્વારા કરવામાં આવી હતી. આ સાથે દેરાસરના પટાંગણને રંગબેરંગી કલર થી રંગોળી કરીને સજાવામાં આવ્યું હતું. અંતમાં મોટુ સવંતસરી પ્રતિક્રમણ કરી સૌ એકબીજાને ક્ષમ્મ્પના, આલોયણા, માફી પછી મિછ્છામી દુક્કડમ કરી હ્રદય હળવું કર્યું હતું અને ભવિષ્યમાં ફરી અમારાથી કોઈ જીવ ને કિચીતમાત્ર દુખ ન થાય તેવા સંકલ્પ કર્યો હતો.
- text