મોરબીના પીપળી નજીક ગરાસિયા યુવાનની હત્યા

- text


સામાન્ય બાબતમાં રજપૂત યુવાને માથામાં ધોકો ફટકારતા મોત

મોરબી : પીપળી નજીક મનીષ કાંટા પાસે અકસ્માતે પડી જતા ગરાસિયા યુવાનનું મૃત્યુ નિપજ્યુ મામલે મૃતકના ભાઈએ ઘટના આકસ્મિક નહિ પરંતુ હત્યાની હોવાનું જણાવી રજપૂત શખ્સે હત્યા કરી હોવાની ફરિયાદ કરતા પોલીસે હત્યા અંગેનો ગુન્હો દાખલ કર્યો છે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ પીપળી પાસે આવેલ મનીષકાંટા નજીક રણજિતસિંહ મંગળુભા ઝાલા ઉ.40 નું અકસ્માતે પડી જતા મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરી તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલ મોરબી ખસેડાયો હતો જ્યાં પીએમ રિપોર્ટમાં મૃતકને માથામાં જોરદાર ઘા લાગતા મોત થયાનું બહાર આવતા મૃતક યુવાનના નાનાભાઈ દશરથસિંહ મંગલુભા ઝાલા ઉ.33 રે. નવીપીપળી વાળાએ આ હત્યા મામલે મોરબીના સંદીપ ઉર્ફે લાલો રમણિકભાઈ રજપૂત વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગઈકાલે સાંજે 5.30 કલાકના અરસામાં મનીષ કાંટા પાસે મૃતક રણજિતસિંહ મંગળુભા ઝાલા સાથે સામાન્ય બાબતમાં હત્યારા સંદીપ સાથે માથાકૂટ થતા રંજીતસિંહના માથામાં લાકડાનો ધોકો ફટકારતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે.
આ ઘટના અંગે તાલુકા પોલીસ મથકમાં સંદીપ ઉર્ફે લાલા રજપૂત વિરુદ્ધ હત્યાનો ગુન્હો દાખલ કરાયો છે જેની વધુ તપાસ પીએસઆઇ ડાભી ચલાવી રહ્યા છે.

- text

- text