- text
મોરબી : મોરબી મહેન્દ્રનગર આઈટીઆઈ ખાતે સીરામીકને લગતા કોર્ષમાં નવા એડમિશન શરૂ કરવામાં આવ્યા છે.
- text
શ્રમ અને રોજગાર વિભાગ સંચાલિત મહેન્દ્રનગર આઈટીઆઈ ખાતે લેબ ટેક્નિશિયન ઓફ સીરામીક બોડી પ્રિપરેશન,લેબ ટેક્નિશયન ઓફ સીરામીક ગ્લેઝ પ્રીપરેશન,લેબ ટેક્નિશયન ઓફ સીરામીક સ્લીપ હાઉસ એન્ડ સ્પ્રે ડાયર અને સીરામીક કીલન અને દરાયર ઓપરેટર સહિતના કોર્ષ માટે ધોરણ 8 પાસ કે તેથી વધુ અભ્યાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ જોડાઈ શકશે,ઉપરાંત જે વિદ્યાર્થીઓએ આ કોર્ષ પૂર્ણ કરેલ છે તેઓએ બ્લોક નંબર પાંચમાંથી સીરામીક વિભાગના શ્રી આર.આર.હળવદિયા પાસે થી 1 થી 5 વાગ્યા દરમિયાન સર્ટિફિકેટ મેળવી લેવા યાદીમાં જણાવાયું છે.
- text