મોરબી : વજેપરમાં બે સતવારા જુથ વચ્ચે ડખ્ખો : ૩ ઘાયલ

- text


મોરબી:મોરબીના વજેપરમાં બે સતવારા જૂથ વચ્ચે ડખ્ખો થતા 3 વ્યક્તિઓને ગંભીર ઇજા થતા સારવાર માટે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વજેપર શેરી નંબર 19 માં બે સતવારા જૂથ વચ્ચે કોઈ કારણોસર ઝગડો થતા વાત વણસી હતી અને હથિયારો સાથે એકબીજા પર તૂટી પડતા 3 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બે જૂથ વચ્ચે થયેલી છુંટા હાથની મારા મારીમાં મુનાભાઈ ડાયાભાઇ પરમાર ઉ 33,જગદીશભાઈ ડાયાભાઇ પરમાર.ઉ.46 અને મહેશભાઈ ડાયાભાઇ પરમાર.ઉ.40 ને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ મોરબી અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. આ મામલે પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી છે અને ડખ્ખાનું કારણ જાણી ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.

- text