મોરબીમાં બે વર્ષ પહેલાના નવરાત્રીના જુના ડખ્ખામાં બે જૂથ વચ્ચે મારા-મારી

- text


બને પક્ષે સામ -સામી ફરિયાદ નોંધાવી

મોરબી: મોરબીમાં બે વર્ષ પૂર્વે નવરાત્રી દરમિયાન છોકરા બાબતે થયેલી તકરારમાં ગઈકાલે દરબાર અને બોરીચા જૂથ સામ-સામે આવી જતા આ મામલે બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ગોપાલ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ વાલાભાઈ બોરીચા ઈકાલે પોતાની દુકાન પાસે બેઠા હતા ત્યારે પ્રહલાદસિંહ મહેન્દ્રસિંહ,મહેન્દ્રસિંહ દરબાર,રાજદીપસિંહ દરબાર,યુવરાજસિંહ દરબાર અને લક્કીરાજસિંહ દરબારે બે વર્ષ પૂર્વે ગરબીમાં છોકરાવને થયેલી તકરાર બાબતે ખાર રાખી ગાળો ડી,લાકડી-તલવાર વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી,

- text

સામાપક્ષે પ્રહલાદસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ પ્રકાશભાઈ વાલાભાઈ ,અર્જુનભાઈ,વાલાભાઈ, મુનાભાઈ રે.બધા ગોપાલ સોસાયટી વાળાઓ એ નવરાત્રીની જૂની તકરારમાં લાકડી ધારીયા સહિતના હથિયાર વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે.
જૂની તકરારમાં મારામારી ની સામ-સામી ફરિયાદ મામલે બી-ડિવિઝન પોલીસે ગુન્હો નોંધ્યો છે અને ઘટના અંગે પીએસઆઇ મજગુલ વધુ તપાસ કરી રહ્યા છે.

- text