માળીયાના પૂર પીડિતોને 750 રાશનકીટ આપતું મોરબી માર્કેટિંગયાર્ડ

- text


ઘઉંનો લોટ,ચોખા,ખચડી,નમક.બાક્સ સહિતની ચીજો અપાઈ

મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા માળીયાના પૂર પીડિતોને જીવન જરૂરી સામગ્રીની 750 કીટ આપવામાં આવી હતી.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા માળીયા પૂર પીડિત લિકોને જીવન જરૂર ચીજ વસ્તુઓની 750 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. માર્કેટિંગ યાર્ડ દ્વારા આપવમાં આવેલી ચીજ વસ્તુઓમાં પ્રત્યેક કિતમાં 5 કિલો ઘઉંનો લોટ,1 કિલોગ્રામ ચોખા,500 તુવેરદાલ,મરચું, ચાહ ભૂકી,ખાંડ,મીઠું,બાક્સ સહિતની સામગ્રી આપવમાં આવી હતી.
રાહત સહાય સામગ્રી વિત્રણમાં યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા, જિલ્લા રજીસ્ટ્રાર સંગીતા રૈયાણી , સેક્રેટરી જગદીશભાઈ સહિત યાર્ડનો કર્મચારી વર્ગ જોડાયા હતા.

- text