જલારામ મંદિર દ્વારા ચંદ્રગ્રહણ પૂર્વે અસ્થિ વિસર્જન કરાશે

- text


2 ઓગષ્ટે પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ હોવાથી 3 ઓગષ્ટે અસ્થિ વિસર્જન

મોરબી : જલારામમંદિર મોરબી દ્વારા બિનવારસું લોકોના તેમજ જે લોકો આર્થિક રીતે અસમર્થ હોય તેવા દિવંગત આત્માના અસ્થિઓનું સામુહિક રીતે અસ્થિ વિસર્જન કરતુ હોય ચાલુ માસે ચંદ્રગ્રહણનાં કારણે 3 ઓગષ્ટના રોજ સામુહિક અસ્થિવિસર્જન કરશે.
જલારામ મંદિરની યાદીમાં જણાવ્યા મુજબ બિનવારસું લોકો તેમજ આર્થિક રીતે નબળા વર્ગના દિવન્ગત આત્માઓ માટે શ્રાવણ માસના પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી 2 જી ઓગષ્ટને બદલે 3 ઓગષ્ટના દિવસે સોમનાથ તીર્થ ખાતે અસ્થિ વિસર્જન કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

- text

- text