માળીયામાં ધોવાણ થઈ ગયેલા રેલવે ટ્રેકના સમારકામનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઇન્સ્પેકસન કરાયું

- text


મોરબી : અતિવૃષ્ટિ ને કારણે માળીયા કચ્છ ને જોડતી રેલવે લાઈને ને ખાસી અસર થઈ હતી. રેલવે ટ્રેક નું ધોવાણ થઈ જતા તાત્કાલિક રેલ વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસો થી રેલવે વિભાગ દ્વારા રેલવે ટ્રેક નું કામ પુરજોશ માં કરવામાં આવી રહ્યું છે. રેલ વ્યવહાર બંધ હોવાને કારણે રેલવે વિભાગ ને પણ મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. આજે વેસ્ટર્ન રેલવે વિભાગ ના જનરલ મેનેજર એ.કે. ગુપ્તા એ માળીયા રેલવે લાઈન ની રૂબરૂ મુલાકાત કરી હતી. પુરના કારણે રેલવે લાઈન ને થયેલ નુકશાની નો અંદાજ મેળવવા તેમજ ઝડપી કામગીરી થાય તે માટે પોતાની ટિમ સાથે ઇન્સ્પેકશન કર્યું હતું.

- text