ટંકારા : પૂરઅસરગ્રસ્ત કામગીરી અંગે નાયબ કલેકટર અને લાયઝન અધિકારીની સમિક્ષા બેઠક

- text


ટંકારા તાલુકામાં લાયઝન અધિકારી અને નાયબ કલેકટર મોરબી શ્રી રેખાબા સરવૈયા તરફથી હાલમાં પડેલા ભારે વરસાદને પગલે સંબંધિત ખાતાઓ અને કચેરીઓનાં અધિકારીઓ, કર્મચારીઓની બેઠક મામલતદાર કચેરી ટંકારા ખાતે રાખવામાં આવી હતી. જેમાં માનવ/પશુ મૃત્યુની સહાય તાકીદે ચુકવણી કરવી તથા રોડરસ્તાનાં તૂટી ગયેલા કામો તાકીદે હાથ ધરવા સંબંધિતો અધિકારીઓને સુચના આપવામાં આવી છે તેમજ ખેતીવાડી શાખા તરફથી હાથ ધરાયેલા વિવિધ ટીમોનાં કામો અંગે જરૂરી અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું. આથી પંચાયત તથા સ્ટેટ તેમજ સિંચાઈ વિભાગનાં કામોની કામગીરી ઝડપથી થાય તે હેતુથી જે-તે કર્મચારીનું હાલ તુરંત હેડક્વાટર ટંકારા ખાતે રહે અને મામલતદાર ટંકારાનાં સંપર્કમાં રહીને સંકલન કરી દરરોજ મુખ્ય મથક છોડવાનું રહેશે તે અંગેની સમજુતી બેઠકમાં આપવામાં આવી હતી.

- text

 

- text