મોરબી: વાંકાનેર તાલુકાના ૐ ઉમા ભંગેશ્વર મહાદેવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ, તીથવા ખાતે આજે શ્રાવણ વદ અગિયારસ, ૧૯મી ઓગસ્ટ, ૨૦૨૫ ને મંગળવારના રોજ રાત્રે ૯ વાગ્યે શ્રી ગાયત્રી લોક ભવાઈ મંડળ દ્વારા 'દાદા નો મજરો' (ભવાઈ) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભવાઈ નિહાળવા નાયક હસુભાઈ વ્યાસ, સંચાલક અજયભાઈ વ્યાસ તેમજ મહંત હરિદાસબાપુ ગુરુશ્રીદયાલદાસ બાપુ ત્યાગી, પ્રમુખ હંસરાજભાઈ ભવાનભાઈ હાલપરા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.