વાંકાનેર : વાંકાનેર નજીક ઢુવા ચોકડી પાસે સેનેટેક સેનેટરી વેર્સના કારખાનામાં મજૂરી કામ કરતી એક મહિલાએ અજાણ્યા કારણોસર કારખાનાની ઓરડીમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં સેનેટેક સેનેટરી વેર્સના માલિક હસમુખભાઇ ગોપાલભાઇ ભીમાણી (ઉ.વ. ૪૯, રહે. રવાપર-કેનાલ રોડ, મોરબી)એ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે પોતાના કારખાનામાં મજુરી કામ કામ કરતી રાજકુમારી દેવીએ (રાહુલ કુમારના પત્ની, ઉ.વ. ૨૫, ધંધો મજુરી, રહે. સેનીટેક સેનેટરી વેર્સના કારખાનામાં, મુળ રહે. પવના જિ. ભોજપુર, બીહાર) અજાણ્યા કારણોસર કારખાનાની ઓરડીમાં અંદરથી બારણું બંધ કરી અને જાતેથી ગળે ફાંસો ખાઇ જતા તેમનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે તેઓના લગ્નને પાંચ વર્ષ થયા હતા અને સંતાનમાં ૩ વર્ષનો એક દીકરો હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. આ બનાવની નોંધ કરી વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.