અરવિંદભાઈ વાંસદળિયાએ મહાદેવને શીશ ઝુકાવી મોરબી જિલ્લા અને રાજ્યના નાગરિકોની સુખ-શાંતિ માટે કરી પ્રાર્થનામોરબી અપડેટ: મોરબી ખાતે આવેલ પવિત્ર અને સુપ્રસિદ્ધ રફાળેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં બેદિવસીય પરંપરાગત લોકમેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી અને કાર્યાલય પ્રભારી અરવિંદભાઈ વાંસદળીયાના હસ્તે રીબિન કાપીને આ મેળાને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે અરવિંદભાઈ વાંસદળીયાએ રફાળેશ્વર મહાદેવના દર્શન કરી વિશેષ પૂજા-અર્ચના તથા જળાભિષેક કર્યો હતો. તેમણે દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શિશ નમાવીને સમગ્ર મોરબી જિલ્લા તેમજ રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.લોકમેળાના ઉદ્ઘાટન બાદ તેમણે જણાવ્યું હતું કે, આપણી ભારતીય સંસ્કૃતિમાં મેળા એ માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ સામાજિક એકતા, ભાઈચારા અને આપણી ભક્તિમય પરંપરાનું પ્રતીક છે. રફાળેશ્વર મહાદેવનો આ મેળો શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને ઉલ્લાસનો ત્રિવેણી સંગમ છે.આ ઉદ્ઘાટન પ્રસંગે સ્થાનિક આગેવાનો, ભાજપના કાર્યકર્તાઓ, મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને માઈભક્તો ઉપસ્થિત રહ્યા હતા. 2 દિવસીય મેળાને પગલે મંદિર પરિસરમાં ભારે ભક્તિમય માહોલ અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.#Morbi #MorbiUpdate #RafaleshwarMahadev #Lokmelo #MorbiNews #GujaratNews #BJP