રાજકોટ : અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેર અને રાજકોટ દ્વારા રાજકોટની નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં જન્મથી લઈને 10 થી 12 વર્ષના બાળ દર્દીઓને રમકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકો આનંદિત રહે અને ઝડપથી સાજા થાય તેવા હેતુથી આશરે 10 હજારના વિવિધ રમકડાં બાળકોને આપવામાં આવ્યા હતા.