હળવદ શાળા નંબર 4ના ધોરણ 7ના બાળકો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે હળવદ : વર્ષ 2019-20માં GCERT ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ભાવનગરના પાલીતાણા તાલુકાના આદપુર પ્રાથમીક શાળા ખાતે 47માં વિક્રમ સારાભાઈગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામા આવ્યું હતું જેમાં હળવદની શાળાએ ભાગ લઇ બાળ વૈજ્ઞાનિકોએ નવીનતમ ફુવારો કૃતિ રજૂ કરી હતી જે રાષ્ટ્રીય કક્ષાએ પસંદ થવા પામી છે. હળવદની સરકારી શાળા શ્રી પે સે.નંબર-4એ એક કૃતિ વિભાગ-3 અંતર્ગત'નવીનતમ ફુવારો' વેસ્ટ માંથી બેસ્ટ તથા જેના 18 જેટલા વિવિધ ઉપયોગો હોવાથી સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ઉત્તમ કૃતિ તરીકે પસંદ કરવામાં આવી હતી.પરંતુ સંજોગોવસાત ગત વર્ષોનું આયોજન આ વર્ષે રાષ્ટ્રીય કક્ષાએ નવી દિલ્હી ખાતે NCERT ભવન (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન,રિસર્ચ એન્ડ ટ્રેનિંગ,નવી દિલ્હી)દ્વારા સમગ્ર રાજ્યોમાંથી ઉત્તમ કૃતિઓને પસંદ કરવામાં આવી છે. જોકે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા ઓનલાઈન વર્ચ્યુલ મોડથી 47 અને 48માં જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય વિજ્ઞાન-ગણિત એવમ પર્યાવરણ પ્રદર્શનનું તા.8 ફેબ્રુઆરી થી11 ફેબ્રુઆરી 2022 સુધી આયોજન કરેલ છે. જે અંતર્ગત હળવદની શાળા નં-4ની કૃતિ પસંદ થતા સમગ્ર ગુજરાત રાજ્યને ગૌરવ અપાવ્યું છે .આ કૃતિ શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષક જીતેન્દ્રભાઈ પરમારના માર્ગદર્શન હેથળ ધોરણ-7માં અભ્યાસ કરતા શાળાના બાળ વૈજ્ઞાનિક કોરીંગા ધાર્મિક રમેશભાઈ અને સનારીયા દેવ યોગેશભાઈ દ્વારા રજુ કરવામાં આવી હતી.