ટંકારા : આગામી તારીખ 5 નવેમ્બરને મંગળવાર ના રોજ રાત્રે 9.30 કલાકે નસીતપર ગામે શ્રી મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટના લાભાર્થે શ્રી જય અંબે ગૌ સેવા યુવક મંડળ રાજપર (કું) દ્ઘારા મહાન ઐતિહાસિક નાટક સોમનાથની સખાતે યાને વીર હમીરજી ગોહિલ અને સાથે હાસ્ય રસીક કોમિક સાણી કન્યા, અબુધ વર ભજવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા તથા ગૌસેવાના આ ભગીરથકાર્યમાં સહભાગી થવા મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ તથા સમસ્ત નસીતપર ગામ વતી નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.