મોરબી : હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે મોરબીમાં સીતારામ સેવા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને પિચકારી તેમજ રંગબેરંગી કલરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી શહેર ભાજપ યુવા મોરચાના મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા, યુવા ભાજપના આગેવાન હિરેનભાઈ કરોતરા, રાજપૂત સમાજના યુવા આગેવાન ભગીરથસિંહ ઝાલા, ભરતસિંહ વાળા, એડવોકેટ ધર્મભાઈ રાવલ સહિતના યુવાનોએ નાના બાળકો સાથે હોળીના પર્વની ઉજવણી કરી હતી.