મોરબીઃ આવતીકાલે તારીખ 25 જાન્યુઆરી ને બુધવારના રોજ વજેપર સબ સ્ટેશનમાંથી PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી મુનનગર ફીડર, સવારે 7-30 વાગ્યાથી બપોરના 1-30 વાગ્યા સુધી નવી લાઈન નાખવા માટેની કામગીરી માટે બંધ રહેશે.જેના કારણે લાતીપ્લોટ, મુનનગર સહિતના વિસ્તારમાં વીજ કાપ રહેશે.. આવતીકાલે બુધવારે ડીવાઈન પાર્ક, ઓમ પાર્ક, કિશન પાર્ક, ધર્મભૂમી સોસાયટી, મુનનગર ચોક, મુનનગર મેઈન રોડ, ચંદ્રેશનગર, ન્યુ ચંદ્રેશ નગર, સતનામ નગર, શ્રીજી પાર્ક, યદુનંદન 19 અને 22, સતવારા એસ્ટેટ, લાતી પ્લોટ 2,3 અને 4 નો એરીયા વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. તેમજ રાજનગર ફિડર બપોરેના 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી નવી લાઈન નાખવા માટેની કામગીરી માટે બંધ રહેશે. જેમાં રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોકની આજુબાજુનો વિસ્તાર, લાતી પ્લોટ-3,4,5,6 નો અમુક વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર, ટેલિફોન એક્સચેન્જ વાળો વિસ્તાર, વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. તેમજ લાતી પ્લોટ ફિડર બપોરેના 12 વાગ્યા થી સાંજના 4 વાગ્યા સુધી નવી લાઈન નાખવા માટેની કામગીરી માટે બંધ રહેશે. જેમાં હદાણીની વાડી, પ્રમુખ સ્વામી પાર્ક 1 અને 2, અક્ષર પાર્ક, ઉમા રેસીડેન્સી, શ્યામ પાર્ક 1 અને 2, રાધા ક્રૂષ્ણ પાર્ક, પંચાસર રોડ, ન્યુ જનક નગર 1 અને 2, ગીતા ઓઈલ મીલની બાજુનો વિસ્તાર, નિરવ પાર્ક, લાતી પ્લોટ વિસ્તાર, અયોધ્યા પુરી મેઈન રોડ જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે.