પાટીદાર નવરાત્રીના આયોજક અને સેવાભાઈ યુવાન અજયભાઈ લોરીયાએ પુત્રીના જન્મદિવસની સાર્થક ઉજવણી કરી મોરબી : પોતાની સેવાકીય પ્રવૃત્તિથી સમાજ ઉત્કર્ષનું કાર્ય કરતા મોરબીના યુવા આગેવાને પોતાની પુત્રીના જન્મદિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરીને સમાજ માટે નવો રાહ ચીંધ્યો છે. મોરબી પાટીદાર નવરાત્રિ મહોત્સવના મુખ્ય આયોજક અજયભાઈ લોરીયાની પુત્રી 'હિયા'ની ગત કાલે પ્રથમ વર્ષગાંઠ હતી. ત્યારે અજય લોરીયા દ્વારા પુત્રીના જન્મદિવસની સાદગીપૂર્ણ ઉજવણી કર્યા બાદ મોરબીના વૃદ્ધાશ્રમમાં આ નિમિત્તે 51 હજારની રાશિ અનુદાનમાં આપી અન્ય લોકો માટે એક પ્રેરણાદાયી પગલું ભર્યું હતું. મિત્રવર્તુળ તેમજ સગા સ્નેહીઓએ અજયભાઈની આ પહેલને બિરદાવી એમની પુત્રી 'હિયા'ને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા પુલવામાં ખાતે શહીદ થયેલા વીર જવાનોના પરિવાર માટે તેઓએ મિત્ર વર્તુળ તેમજ અન્ય દાતાઓ પાસેથી એકથી કરેલી ધનરાશી જે તે શહીદના માદરેવતન જઈને રૂબરૂ અર્પણ કરવાનું ભગીરથ કાર્ય તેમની ટીમ સાથે આદર્યું હતું. જે પહેલને પણ લોકોએ ખૂબ જ આવકારી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274