અકસ્માત, બેન્ક લેણાં, ચેક રિટર્ન, લગ્ન સબંધી કેસોમાં સમાધાનના પ્રયાસ કરાશેમોરબી : મોરબી જિલ્લામાં આગામી તા. 9 માર્ચ 2024 ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે જેમાં અકસ્માત, બેન્ક લેણાં, ચેક રિટર્ન, લગ્ન સબંધી કેસોનું સમાધાનકારી નિકાલ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.પ્રાપ્ત વિગતો મુજબ નેશનલ લીગલ સર્વિસીઝ ઓથોરિટી, નવી દિલ્હી દ્વારા દેશભરમાં આગામી 9 માર્ચેના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ મુખ્ય જિલ્લા ન્યાયાધિશ પી.સી.જોષીના માર્ગદર્શન હેઠળ આગામી તા.9મી માર્ચે જિલ્લાની તમામ કોર્ટમાં લોક અદાલત યોજાશે.આ લોક અદાલતમાં મોટર અકસ્માત, બેન્કલેણાં, ચેક રિટર્ન, સામાન્ય મારામારીના કેસો, મિલ્કત સબંધી દાવાઓ, મૂકવામાં આવનાર છે. ઉપરાંત લગ્ન સબંધી કેસો, સમાધાન પાત્ર ન હોય તે સિવાયના વિજળી, પાણીના બિલના કેસો, જમીન સંપાદનના કેસો, સર્વિસ મેટર વગેરે કેસોનો સમાધાનકારી નિકાલ કરવા પ્રયત્ન હાથ ધરવામાં આવશે. લોક અદાલતના કારણે નાણાં, સમયનો બચાવ થાય છે.આ લોક અદાલતમાં પોતાનો કેસ મુકવા માંગતા પક્ષકારોએ પોતાના વકિલ મારફતે લાગુ પડતી જે તે કોર્ટનો સંપર્ક કરવા અથવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગ, બીજો માળ, મોરબી, ફોન નંબર 02822- 242614 પર સંપર્ક કરવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવ અને સિનીયર સિવીલ જ્જ બી. એસ. ગઢવી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.