મોરબી : મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા જયંતીલાલ પ્રેમજીભાઈ પરમાર ઉ.43 નામના યુવાનને છેલ્લા દોઢેક વર્ષથી ફેફસાની બીમારી હોય ગત તા.25ના રોજ તબિયત લથડતા પ્રથમ મોરબી બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યા હતા.જ્યાં તબિયત સારી નહિ થતા રાજકોટ સિવિલમાં ખસેડવમાં આવતા તા.28ના રોજ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.