મોરબી: આજરોજ યુવા લેખક પરમ જોલાપરા દ્વારા સંકલિત અને સંશોધિત પુસ્તક 'વિશ્વદેવ વિશ્વકર્મા'નું થાનગઢ ખાતે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના વરદ હસ્તે વિમોચન થયું. વેદો તેમજ પુરાણોના પુરાવાસભર ભગવાન શ્રી વિશ્વકર્માનું વર્ણન દર્શાવતું પુસ્તક પરમ જોલાપરા દ્વારા 18 વર્ષની નાની વયે તૈયાર કરવામાં આવ્યું છે જે આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે. વિમોચન સમયે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે પણ રાજીપો વ્યક્ત કર્યો હતો. આ તકે મિતેષભાઈ દવે, દર્શનભાઈ દવે, કિશોરભાઈ પરમાર તેમજ જીતભાઈ નિમાવત પણ હાજર રહ્યા હતા.