મોરબી : આગામી તારીખ 28-8-19ને બુધવાર અને પુષ્યનક્ષત્રના ઉત્તમ દિવસે આયુર્વેદિક જીવનશૈલી દ્વારા વિનામૂલ્યે જન્મથી લઈને 12 વર્ષ સુધીના બાળકોને તેમજ સગર્ભા મહિલાઓને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 28 ઓગષ્ટને બુધવારે સવારે 10 થી બપોરે 01 અને બપોરે 04થી સાંજે 06 વાગ્યા સુધી સોરઠીયા લુહાર વાડી, સ્વામિનારાયણ મંદિર ગેઇટ વાળી શેરી, લાતી પ્લોટ, શનાળા રોડ, મોરબી ખાતે આયોજિત આ નિઃશુલ્ક કેમ્પમાં આયુર્વેદિક પદ્ધતિથી તૈયાર કરેલા સુવર્ણપ્રાશ ટીપાં પીવડાવવામાં આવનાર છે. બદલાતા વાતાવરણમાં તાવ, શરદી, વાયરલ ઇન્ફેક્શનથી આ ટીપાં બચાવ કરે છે. શારિરીક તથા માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે. આ સુવર્ણપ્રાશનનાં ટીપા આયુર્વેદના પ્રાચિન ગ્રંથમાં બતાવેલી વિધી પ્રમાણે વૈદિક મંત્રોચ્ચારથી 100% શાસ્ત્રીય વિધિથી GMP સર્ટીફાઇડ બનાવેલ છે. તેથી તેની કોઈ આડઅસર થતી નથી. મોરબીના વધુને વધુ બાળકો-સગર્ભા મહિલાઓ આ કેમ્પનો લાભ લે તેવી અપીલ આયોજકો તરફથી કરવામાં આવી છે. વધું વિગત માટે રાજ પરમાર મો. 9722666442 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.