ફેસબુકના માધ્યમથી ધો-૧૨ CBSC & GSEB (eng & guj. Med.) ના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે માર્ગદર્શન : ગુજરાતના દરેક શહેરના વિદ્યાર્થીઓને ઘરેબેઠા શિક્ષણ મેળવી શકે એ માટે આ શિક્ષણ સેવા યજ્ઞ શરૂ કર્યો મોરબી : મોરબીના શિક્ષક નિર્મિત ભાઈ કક્કડની અનોખી પહેલ કરી છે. જેમાં ફેસબુકના માધ્યમથી ધો-૧૨ CBSC & GSEB (eng & guj. Med.) ના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે માર્ગદર્શન શરૂ કર્યું છે. તેમણે ગુજરાતના દરેક શહેરના વિદ્યાર્થીઓને ઘરેબેઠા શિક્ષણ મેળવી શકે એ માટે લાભ આ શિક્ષણ સેવા યજ્ઞ શરૂ કર્યો છે. પ્રવર્તમાન સમયે કોરોનાના કહેરે સમગ્ર વિશ્વને બાનમા લઈ લીધુ છે ત્યારે સમગ્ર ભારત દેશમા લોકડાઉનની પરિસ્થિતી છે.તેથી કોમર્સના વિદ્યાર્થીઓને ઘરબેઠા માર્ગદર્શન મળી રહે તે હેતુસર મોરબીના શિક્ષક નિર્મિત ભાઈ કક્કડે ફેસબુકના માધ્યમથી માર્ગદર્શન આપવાનુ શરૂ કર્યુ છે. તેમણે જણાવ્યુ છે કે, યુટ્યુબ કે બીજી કોઈ એપ્લીકેશનથી શિક્ષણ આપવામા આવે તો તે માત્ર તેમના વિદ્યાર્થીઓ પુરતુ જ સિમિત રહે પરંતુ આ લોકડાઉનની પરિસ્થિતીમા ગુજરાતના વિવિધ શહેરોના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે ફેસબુક યોગ્ય માધ્યમ છે. બહારગામના ફેસબુક મિત્રોની મદદથી વિવિધ શહેરના વિદ્યાર્થીઓ સુધી લેક્ચર પ્રદાન કરવામા આવે છે. વધુમા તેઓએ જણાવ્યુ છે કે, શિક્ષકનુ કર્તવ્ય દરેક વિદ્યાર્થીઓ પ્રત્યે સમભાવ સાથે શિક્ષણ પ્રદાન કરવાનુ છે. માટે કોઈ પણ શાળા કે ક્લાસીસમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમના મતે સમાન છે. તેથી, તે દરેકને માર્ગદર્શન આપવાનુ નિર્ધારિત કર્યુ છે. વધુમા, તેમણે જણાવ્યુ છે વિદ્યાર્થીઓને કોઈ લેક્ચરમાંનો કોઈ મુદો સમજમા ન આવે તો તેમના વોટ્સએપ નં-૯૯૯૮૮૮૦૫૮૮ પર મેસેજ કરી વ્યક્તિગત માર્ગદર્શન પણ મેળવી શકશે.