વડાપ્રધાન આવ્યાને રાતો રાત હોસ્પિટલ સમીનમી કરવા અંગે સાહિત્યકાર રાજભા ગઢવીએ જાહેર કાર્યક્રમ આપી પ્રતિક્રિયા મોરબી : 30 ઓક્ટોબરના રોજ મોરબીનો ઝૂલતો પુલ તુટી પડવાની દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદીના મોરબી આગમન સમયે રાતોરાત મોરબી સિવિલ હોસ્પિટલની મરામત કરવાની ઘટનાને લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ માનવ જાત માટે કાળી ટીલી સમાન ગણાવી જાહેર સ્ટેજ ઉપરથી મોરબી સિવિલ હોસ્પીટલના સત્તાધીશોને માણસના પેટના ન હોવાના આકરા શબ્દો કહ્યા હતા. મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામા એક સાથે 135 લોકોના મૃત્યુને કારણે સમગ્ર દેશ જ નહીં બલ્કે વિદેશમાં પણ હાહાકાર મચી ગયો છે ત્યારે આ દુર્ઘટના બાદ તા.1 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે ખંઢેર જેવી સિવિલ હોસ્પિટલને રાતોરાત કલરકામ અને બહારથી સારા પલંગ, ગાદલા રાખી દેખાડો કરવામાં આવતા આ બાબત ટિકપાત્ર બની હતી ત્યારે આ મામલે લોક સાહિત્ય કાર રાજભા ગઢવીએ એક કાર્યક્રમમાં જાહેર સ્ટેજ ઉપરથી મોરબી સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને આદેહાથ લીધા હતા. વાયરલ થયેલ વિડીયોમા રાજભા ગઢવીએ કહ્યું હતું કે, હું કોઈ પક્ષનો માણસ નથી મારા માટે બધા સરખા છે. પરંતુ મોરબીની ગોઝારી દુર્ઘટના બાદ રાતો રાત સિવિલ હોસ્પિટલને સારી બતાવવા જે રંગરોગાન થયા તે માનવ જાત માટે કાળી ટિલી સમાન છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે, રાતો રાત ગ્રાન્ટ વગર તો કઈ થતું નથી, આના કરતા પહેલા જ હોસ્પિટલને સારી રાખી હોત તો કહી ઉમેર્યું હતું કે મોરબી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો માણસના પેટના નથી, આ વીડિયોમાં રાજભા ગઢવીએ જીવ સ્ટોસટની બાજી લગાવી અનેક લોકોને બચાવનાર યુવાન વખાણ પણ કર્યા હતા. વિડિયો જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.. https://youtu.be/TVG-WGzyj0w