મોરબી : ઉત્તરાંખડમાં આવેલ માંદી, લાચાર, અંધ વૃદ્ધ તથા કસાઈથી બચાવી સેવા કરતી તથા નંદી વગેરે અસહાયકોની સેવા કરતી ઉત્તરાખંડની એકમાત્ર કૃષ્ણાયન દેશી ગૌરક્ષા શાળાના લાભાર્થે જાનવી યોગ અને આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલના નિષ્ણાંત ડૉક્ટર દ્વારા યોજાયેલ ફ્રી રોગ નિદાન કેમ્પમાં ચામડીના રોગો-સોર્યાસીશ-જૂનું ખરજવું-જૂનું દાદર-સાંધાના દુખાવા-ઢીચણ નો દુખાવો - કમરનો દુખાવો - હાથી પગા - ગેગરિંગ - વેરિકોઝવેન(નસમા સુજન) - નપુંસકતા - અસાધ્ય સ્ત્રી રોગ - વાળની સમસ્યાઓ - CP ચાઈલ્ડ(અવિકસિત બાળક) - DMD માંસ પેસીઓનો રોગ - પાતળા પણું - મોટાપો - કારોડરજ્જુમાં મણકાની ગાદી ધસાઈ જવી - હૃદય ની નશોમાં બ્લોકેજ - અનિંદ્રા જેવા અનેક અસાધ્ય રોગોનો ઈલાજ કરવામાં આવશે. આ કેમ્પ 17/02/2020 ના રોજ નરસંગ ટેકરી મંદિર, રવાપર રોડ ખાતે સવારે 09:00 થી 12:00 કલાકે તથા સાંજે 03:00 થી 07:00 કલાકે યોજાશે. વધુ વિગત માટે કેશવજીભાઈ ઠોરિયા મો.નં. 97123 99990 નો સંપર્ક કરવાનું યાદીમાં જણાવ્યું છે.