મોરબી: મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના એસ.સી. વિભાગના અધ્યક્ષ દીપક પરમારની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષના સભ્યો અને હોદ્દેદારોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બી.આર. ગવઈ (પ્રથમ દલિત સીજેઆઇ) પર સુપ્રીમ કોર્ટ પરિસરમાં એક વકીલ દ્વારા કરાયેલા જૂતા ફેંકવાના કૃત્ય વિરુદ્ધ રાષ્ટ્રપતિને આવેદનપત્ર મોકલ્યું છે. આવેદનમાં આ કૃત્યને માત્ર વ્યક્તિગત અપમાન નહીં, પરંતુ સર્વોચ્ચ ન્યાયિક પદના બંધારણીય ગૌરવ અને સમગ્ર અનુસૂચિત જાતિ સમુદાય પરનો સીધો હુમલો ગણાવ્યો છે. કોંગ્રેસે માંગ કરી છે કે આ ઘટનાની સંપૂર્ણ અને સમયબદ્ધ તપાસ કરીને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેની સામે UAPA હેઠળ કાર્યવાહી કરવામાં આવે.