આરોગ્ય વિભાગ દ્વારા 24 ઓગસ્ટ બાદ આજે એક દર્દીનું કોરોનાના કારણે મૃત્યુ થયાનું જાહેર કર્યું : મોરબી તાલુકામાં 23, વાંકાનેર તાલુકામાં 1 અને હળવદ તાલુકામાં 5 નવા કેસ નોંધાયા મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 21 સપ્ટેમ્બર, સોમવારે આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબના કોરોનાના કેસની વિગતો જાહેર કરવામાં આવી છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1042 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 29 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 14 મોરબી ગ્રામ્ય : 09 વાંકાનેર સીટી : 00 વાંકાનેર ગ્રામ્ય : 01 હળવદ સીટી : 00 હળવદ ગ્રામ્ય : 05 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 00 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 00 આજના જિલ્લાના કુલ નવા કેસ : 29 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 22 વાંકાનેર તાલુકામાં : 03 હળવદ તાલુકામાં : 02 ટંકારા તાલુકામાં : 00 માળીયા તાલુકામાં : 00 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 27 આરોગ્ય વિભાગ દ્વારા 24 ઓગસ્ટ બાદ આજે મોરબી તાલુકાના એક દર્દીનું કોરોનાના કારણે મૃત્યુ થયાનું જાહેર કર્યું છે. આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 254 કુલ ડિસ્ચાર્જ કેસ : 1181 કુલ મૃત્યુઆંક : 17 (કોરોનાના કારણે) 60 (અન્ય બીમારીના કારણે) કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 1512 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 49598 નોંધ : 24 ઓગસ્ટથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દર્દી અને તેના સરનામાની વિગતો જાહેર કરવાનું બંધ કરી માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.