મોરબી તાલુકામાં 18, વાંકાનેર તાલુકામાં 3 નવા કેસ નોંધાયા : અન્ય તાલુકામાં એક પણ કેસ નહિ : આજે મોરબી જિલ્લામાં ત્રણ કોરોના પોઝિટિવ દર્દીના મૃત્ય થયા પણ સત્તાવાર એક પણ કોવિદ ડેથ જાહેર નથી કરાયું મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 03 ઓક્ટોબર, શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબના કોરોનાના કેસની વિગતો જાહેર કરવામાં આવી છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 907 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 21 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 14 મોરબી ગ્રામ્ય : 04 વાંકાનેર સીટી : 03 વાંકાનેર ગ્રામ્ય : 00 હળવદ સીટી : 00 હળવદ ગ્રામ્ય : 00 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 00 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 00 આજના જિલ્લાના કુલ નવા કેસ : 21 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 24 વાંકાનેર તાલુકામાં : 01 હળવદ તાલુકામાં : 01 ટંકારા તાલુકામાં : 00 માળીયા તાલુકામાં : 01 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 27 આજે મોરબી જિલ્લામાં ત્રણ કોરોના પોઝિટિવ દર્દીના મૃત્ય થયા પણ સત્તાવાર એક પણ કોવિદ ડેથ જાહેર નથી કરાયું. આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 214 કુલ ડિસ્ચાર્જ કેસ : 1463 કુલ મૃત્યુઆંક : 17 (કોરોનાના કારણે) 79 (અન્ય બીમારીના કારણે) કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 1773 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 61766 નોંધ : 24 ઓગસ્ટથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દર્દી અને તેના સરનામાની વિગતો જાહેર કરવાનું બંધ કરી માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.