મરબી : 23 માર્ચના રોજ મોરબી જિલ્લામાં ઠેર ઠેર શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મિશન નવભારત મોરબી જિલ્લા દ્વારા શહીદ દિવસ નિમિત્તે મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આવેલા શહીદ સ્મારકને શ્રદ્ધાસુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજની યુવા પેઢીમાં ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા નવલોહિયા યુવાનોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું તે પ્રત્યે જાગૃતિ આવે અને રાષ્ટ્ર બાવના અને દેશદાઝ વિકસે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.