કોઇપણ જગ્યાએ ગૌમાતા કે નંદી મૃત્યુ પામે તો સેવાભાવી લોકોનો સંપર્ક કરવા અપીલમોરબી : હિન્દૂ ધર્મના શાસ્ત્રોક્ત પ્રમાણે દરેક ગૌમાતા પૂજનીય છે. તેમજ નદી પણ પૂજનીય ગણાય છે. આવા સંજોગોમાં ગાય કે નદી મૃત્યુ પામે તો તેમનું માન સન્માન જળવાય રહે તે રીતે અંતિમ વિધિ કરવાની હોય છે. ત્યારે મોરબીમાં મૃત્યુ પામેલા ગૌવંશની માન સન્માન અને પૂજા અર્ચન કરીને અંતિમવિધિ કરવા માટે સેવાભાવીઓનું ગ્રુપ કાર્યરત છે. આ સેવાભાવીઓ દ્વારા અત્યાર સુધી મૃત્યુ પામેલી 195 ગૌમાતાને માન સન્માન સાથે સમાધિ આપવામાં આવી છે.મોરબીમાં આ સેવાભાવી લોકો મૃત્યુ પામેલ ગૌવંશને ગૌરવભેર અંતિમવિધિ કરવા હરહંમેશ ખડેપગે રહે છે. આથી કોઈપણ સ્થળે મૃત્યુ પામેલા ગૌવંશને જ્યાં ત્યાં સડવા ન દઈને યોગ્ય રીતે અંતિમવિધિ કરવા માટે આ સેવાભાવીઓ હેલ્પલાઇન જાહેર કરી છે. જેમાં મોરબીમા કોઈપણ સ્થળે ગામાતા કે નદી મહારાજ દેવ થઇ જાય તો સમાધી માટે નીચે મુજબ લોકોનો સંપર્ક કરવા વિનંતી કરાઈ છે.જયપાલસિંહ જાડેજા (7990113820)યુવરાજસિંહ જાડેજા (9712091940)લાલભા જાડેજા (9727300999) ધ્રુવરાજભાઈ સગર (8511577716)સરમણભાઈ રાઠોડ (આહીર) (9998555534)કિશનભાઈ રાઠોડ (9737486303)કારુભાઈ કુગશિયાક્રિપાલસિંહ ઝાલા કલ્પેશભાઈ મારૂધનશુકભાઈ પટેલયોગેશભાઈ આહીર