મોરબી : આજકાલ લોકો પોતાના વધેલા વજનને લઈને ચિંતાતુર છે. આજની જીવનશૈલીથી મોટાભાગના લોકોમા સ્થૂળતા જોવા મળે છે. વજન ઘટાડવા લોકો અનેક મથામણ કરે છે પરંતુ એક અધ્યયન અનુસાર, લાંબા સમય સુધી સ્વસ્થ આદતોને અનુસરીને તમે વજનમાં વધારો અને સ્થૂળતા જેવી ઘણી સમસ્યાઓને ઘણી હદ સુધી ઘટાડી શકો છો. આ માટે તમારે તમારી કેટલીક આદતોને દૂર કરવી પડશે અને કેટલીક નવી આદતો અપનાવીને તમારા વધેલા વજનને નિયંત્રિત કરવી પડશે. આવો જાણીએ કઈ છે આ નવી આદતો : રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ નવશેકા પાણીમાં એક કે બે ટીપાં લીંબુનો રસ અને એક નાની ચમચી મધ નાખીને પીવું તેનાથી તમે દિવસભર હળવાશ અને તાજગીનો અનુભવ કરશો. હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે સવારે કરવામાં આવેલી 30-45 મિનિટની એક્સરસાઇઝ પણ ખૂબ જ ફાયદાકારક છે. આમ કરવાથી વજન તો ઘટે છે સાથે જ ડાયાબિટીસ અને હ્રદયની બીમારીઓ થવાની શક્યતાઓ પણ ઘણી હદ સુધી ઘટી જાય છે. સવારે ઉઠ્યા પછી તરત જ ખાલી પેટ ચા ન પીવી. ખાલી પેટ ચા અને કોફી પીવાથી એસિડિટી થાય છે અને અપચો અને માથાનો દુખાવો પણ થઈ શકે છે. એક રિસર્ચમાં એ વાત સાબિત થઈ છે કે હાઈ પ્રોટીન નાસ્તો કરવાથી પેટ ભરેલું રહે છે અને હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ શરીરમાં ભૂખના હોર્મોન્સ ઘટાડવાનું કામ કરે છે, જેનાથી વજન પણ ઘટે છે. શરીરમાં વિટામિન ડીની ઉણપને પૂરી કરવા માટે સપ્લીમેન્ટ્સ લેવા કરતાં તડકામાં બેસવું વધુ ફાયદાકારક છે. તેથી, સવારે વહેલા ઉઠ્યા પછી, ઓછામાં ઓછા 15 મિનિટ સૂર્યપ્રકાશ લો. સારા સ્વાસ્થ્ય માટે 8-10 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે. સંપૂર્ણ ઊંઘ ન મળવાને કારણે મેટાબોલિઝમ પણ સરખી રીતે કામ કરતું નથી અને શરીરમાં હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે. દિવસભર તમારી જાતને અમુક પ્રકારની શારીરિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખો. જેમ કે ચાલવું, સાયકલ ચલાવવું, નૃત્ય કરવું, દોરડું કૂદવું વગેરે આનાથી પણ વજન ઘટે છે.