મોરબી : સમસ્ત સિંધી સમાજ દ્વારા રવિવારે ઝૂલેલાલ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે જેમાં સવારથી સાંજ સુધીમાં આરતી, મહાપ્રસાદ અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમો ઉજવાશે.તા. ૩૦ ને રવિવારના રોજ ૧૦૭૫મો ઝૂલેલાલ જન્મોત્સવ સ્ટેશન રોડ પરના સિંધુ ભવન ખાતે ઉજવાશે. જેમાં સવારે ૮ કલાકે ધ્વજા રોહણ, ૧૧ કલાકે મહાઆરતી, બપોરે ૧૨ : ૩૦ કલાકે મહાપ્રસાદ અને સાંજે ૪ : ૩૦ કલાકે શોભાયાત્રા નીકળશે ચૈત્રી બીજના ભંડારા પ્રસાદના દાતા સ્વ. કિશનચંદ ગાગનદાસ તુલસીયાણી છે ઝૂલેલાલ મહોત્સવમાં મોરબીમાં વસતા દરેક સિંધી પરિવારે ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.