ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટની ખેડબ્રહ્મા બદલી, ગિરીશ સરૈયાને વાંકાનેરનો ચાર્જ પણ અપાયો મોરબી : રાજ્ય સરકાર દ્વારા આજે આઠ ચીફ ઓફિસરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં મોરબી પાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટની ખેડબ્રહ્મા ખાતે બદલી કરવામાં આવી છે. જયારે સામે વાંકાનેરના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાને ફરીથી મોરબીમાં મુકવામાં આવ્યા છે. વધુમાં તેઓની મૂળ ફરજનું સ્થળ મોરબી રહેશે. સાથે તેઓને વાંકાનેરનો પણ ચાર્જ સાંભળવાનો આદેશ કરવામાં આવ્યો છે.