મોરબી : આવનારા તહેવારના સીઝનમાં મુસાફરોની વધતી સંખ્યા ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે બે–બે વધારાના જનરલ કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થા 31 ઓક્ટોબર, 2025 થી 10 નવેમ્બર, 2025 સુધી અમલમાં રહેશે.આ ટ્રેનોની વિગત જોઈએ તો, 1) ટ્રેન નં. 19119/19120 – વેરાવળ–ગાંધીનગર કેપિટલ–વેરાવળ દૈનિક એક્સપ્રેસ, 2) ટ્રેન નં. 19207/19208 – પોરબંદર–રાજકોટ–પોરબંદર દૈનિક એક્સપ્રેસ છે.આ અસ્થાયી કોચ વધારાનો હેતુ તહેવારી મોસમ દરમિયાન વધતા મુસાફરોની સંખ્યા ધ્યાનમાં રાખીને વધુમાં વધુ મુસાફરોને આરામદાયક અને સુગમ મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે.