જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ગણાશેમોરબી : મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કે ઘુષણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે હેતુથી દરીયાઇ ટાપુઓને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે.મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- 1973 ની કલમ-144 હેઠળ મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન હેઠળ આવેલ મામલીયા ટાપુ (3.0 નોટીકલ માઇલ્સ), મુર્ગા ટાપુ (1.3 નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૧ (6.1 નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૨ (5.8 નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-3 (6.1 નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૪ (5.3 નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૫ (4.8 નોટીકલ માઇલ્સ) અને અનનેમ ટાપુ-6 (5.1 નોટીકલ માઇલ્સ) સહિત કુલ 8 ટાપુઓ ઉપર કોઇપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરવી નહી કે ઘુસણખોરી કરવી નહી, સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવું કોઇ કૃત્ય કરવું નહી. આ ટાપુઓ ઉપર કોઇ વ્યકિતએ પ્રવેશવું નહી તથા બોટને લાંઘવાની પ્રવૃતિ નહીં કરવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.આ જાહેરનામુ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના સુરક્ષા દળ, ફોરેસ્ટ વિભાગ, મહેસુલ વિભાગ, લેન્ડ રેકર્ડસ તથા ફિશરીઝ વિભાગના અધિકૃત અધિકારી/કર્મચારીઓને લાગુ પડશે નહીં. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા ફરજ પરના પોલીસ હેડ કોન્સટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારોઓને અધિકૃત કરવામાં આવ્યા છે. આ જાહેરનામુ તા. 18-7-2024 સુધી અમલમાં રહેશે.[caption id='attachment_170612' align='alignnone' width='300'] Stop sign, icon NO ENTRY vector. Red color singe symbol illustration .[/caption]