ટંકારા : ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીજીના ૬૬ માં જન્મદિવસે જન કલ્યાણ દિવસ નિમિતે ટંકારા ગામના જરૂરિયાતમંદ બાળકોને સુકા નાસ્તા પેટે પફ, બિસ્કીટ, કેન્ડી વગેરે વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્ય પ્રવિણભાઈ ચૌહાણ, અશ્વિન ભાઈ પરમાર, ચમનભાઈ ચાવડા, હરેશ જાદવ, છગનભાઈ ચૌહાણ, સલીમભાઈ માડકિયા, મોહિત ચાવડા, દિલીપભાઇ મકવાણા સહિતના દ્વારા કરવામાં આવ્યું હતું.