જીવનમાં અત્યંત ઉપયોગી પ્રોગ્રામ :બહારગામથી આવતા લોકો માટે રહેવાની પણ વ્યવસ્થા મોરબી : આર્ટ ઓફ લિવિંગ મોરબી સંસ્થા દ્વારા તા. 13 થી 15 સપ્ટેમ્બર 22 DSN પ્રોગ્રામ થવાનો છે. જે જીવન પરિવર્તનશીલ પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામમાં ભાગ લેનાર દિવ્ય શક્તિ દ્વારા પોતાની કેપેસિટીને ઓળખે છે અને અદભુત આનંદ, ઉત્સાહ સ્ફૂર્તિની અનુભૂતિ કરે છે, જે તેમને પોતાના ઘરમાં વ્યવસાયમાં તેમજ સમાજના દિવ્ય કાર્યો માટે ઉપયોગી બને છે જેને દિવ્ય સમાજ નિર્માણ કહેવાય છે. તો જેમને સુદર્શન ક્રિયા વાળો પ્રોગ્રામ કરેલો હોય તેના માટે તો મોરબીમાં ઘરે બેઠા આ અવસર છે. રજીસ્ટ્રેશન તથા વધુ માહિતી માટે યોગેશભાઈ હિરાણી 9909300135નો સંપર્ક કરવા જણાવાયું છે.