મોરબી, વાંકાનેર અને હળવદ તાલુકામાં એક પણ કેસ નહિ, ટંકારા-માળિયામાં એક-એક કેસ : 14 દર્દીઓ સાજા થયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 2 કેસ સામે આવ્યા છે. બીજું સૌથી મહત્વની વાત એ છે કે એક્ટિવ કેસ ઘટીને 52 થઈ ગયા છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 954 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 2 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 14 દર્દીઓ રિકવર પણ થયા છે. 18 ફેબ્રુઆરી, શુક્રવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત મોરબી ગ્રામ્ય : 00 મોરબી શહેર : 00 વાંકાનેર ગ્રામ્ય : 00 વાંકાનેર શહેર : 00 હળવદ ગ્રામ્ય : 00 હળવદ શહેર : 00 ટંકારા ગ્રામ્ય : 01 ટંકારા શહેર : 00 માળિયા ગ્રામ્ય : 01 માળિયા શહેર : 00 કુલ : 02 18 ફેબ્રુઆરી, શુક્રવારે રિકવર થયેલા કેસની વિગત મોરબી તાલુકા : 07 વાંકાનેર તાલુકા : 00 હળવદ તાલુકા : 01 ટંકારા તાલુકા : 06 માળિયા તાલુકા : 00 કુલ ડિસ્ચાર્જ : 14