આજે વિશ્વ માતૃભાષા દિવસ : ભાષા કોઈપણ શીખો પણ માતૃભાષાને અવગણો નહિ નવેમ્બર, 1999માં યુનેસ્કોએ માતૃભાષા દિવસને ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, 2000થી લઈને આજ દિવસ સુધી દર વર્ષે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ એ ભાષાને સન્માન આપવું તથા માતૃભાષાને જાળવી રાખવાનો હતો. પણ આજનું બાળક એ ક્યાંક માતૃભાષાથી દૂર થતું જાય છે. સ્પર્ધાત્મક યુગ અને માતા પિતાની ખોટી ઘેલછાનો ભોગ ક્યાંક બાળક બને છે. ભાષાની જાળવણી કરવી એ ભવિષ્ય માટે એક મહત્વનું સકારાત્મક પગલું છે. આજે અંગ્રેજી શીખવામાંને શીખવામાં લોકો માતૃભાષા ગુજરાતીથી દુર થતા જાય છે,અને અમુક વખતે ગુજરાતીમાં વાત કરવી તો ઘણા લોકો માટે જાણે શરમ જનક હોય તેમ જોવા મળે છે, ત્યાં સુધી કે માતા પિતા બહુ વટથી કહેતા હોય છે કે 'મારા બાળકને અંગેજી સિવાય કશું જ ન આવડે, અમારે પણ અંગ્રેજી જ બોલવું પડે એ ગુજરાતી નહિ સમજે' ત્યારે થાય કે કયા જઈ અટકશે? શુ માતૃભાષા ન આવડવી એ અભિમાન લેવા જેવી વાત છે? ગુજરાતી હોવા છત્તા પણ માતા પિતા અંગ્રેજીમાં બોલે છે ત્યારે તેમના બાળકો પણ માતૃભાષાથી વંચિત રહી જતા હોય છે. એ વિશે જ મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ધારા આર. દોશી અને અધ્યક્ષ ડો.યોગેશ એ.જોગસણ દ્વારા 978 લોકો પર એક સર્વે કરવામાં આવ્યો જેના તારણો સ્વરૂપે કહી શકાય કે ખોટી આંધળી દોટ કે માતા પિતાને કારણે બાળક માતૃભાષાથી દુર થઇ રહ્યું છે. સર્વેના પ્રશ્નો નીચે મુજબ હતા. શું આજનું બાળક ક્યાંક માતૃભાષાથી દુર થતું જાય છે? જેમાં 63% એ હા જણાવી શુ અન્ય ભાષાની ઘેલછાને કારણે આજે લોકો માતૃભાષાથી દુર થયા છે? જેમાં 71% એ હા જણાવી શુ વિદેશી ભાષા ન આવડે તો લોકો શરમ કે નાનમ અનુભવતા હોય છે? જેમાં 60% એ હા જણાવી શુ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે દરેક વ્યક્તિએ માતૃભાષા નું મહત્વ સ્વીકારવું જોઈએ? જેમાં 100% એ હા જણાવી શુ દરેક માતા પિતાએ પોતાના બાળકને માતૃભાષાનું મહત્વ સમજાવવું જોઈએ? જેમાં 90% એ હા જણાવી વ્યક્તિ પોતાની લાગણીઓ માતૃભાષામાં સરળ રીતે વ્યક્ત કરી શકે? જેમાં 85% એ હા જણાવી શુ વિદેશી ભાષાઓ એ બુદ્ધિનું માપદંડ છે? જેમાં 84% એ ના જણાવી બાળકોને માતૃભાષા વ્યવસ્થિત ન આવડવાનું કારણ ક્યાંક માતા પિતાની વિદેશી ભાષાના શિક્ષણ પ્રત્યેનું ઘેલું છે? જેમાં 79% એ હા જણાવી શુ ઘણી વખત ખોટા દંભ અને દેખાડાને કારણે પણ લોકો માતૃભાષા કરતા વિદેશી ભાષા ને મહત્વ આપતા હોય છે? જેમાં 87%એ હા જણાવી માધ્યમ કે બોર્ડ કોઈપણ હોય શુ ગુજરાતી ભાષા શીખવવી જરૂરી છે? જેમાં 100%એ હા જણાવી જે રીતે કડકડાટ અંગ્રેજી બોલાય એ જ રીતે દરેક બાળકના મુખે કડકડાટ માતૃભાષા હોવી જરૂરી છે? જેમાં 100% એ હા જણાવી ખોટી સ્પર્ધાત્મક હોડને કારણે કે અલગ દેખાવાની વૃત્તિને કારણે લોકો માતૃભાષાથી દુર જાય છે? જેમાં 78% એ હા જણાવી કોઈ કાર્યમાં કેફિલ્ડમાં આગળ વધવા માટે અંગ્રેજી આવડવુ જોઈએ એ વાત સ્વીકાર્ય છે,પરંતુ અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોને સારું ગુજરાતી પણ શીખવાડવું જ જોઈએ જેથી કરીને બાળક આપણી માતૃભાષાના સાથે જોડાયેલું રહે અને આપણો ભવ્ય ગુજરાતી વારસો પણ જળવાઈ રહે. આજ કાલ જાણે ટ્રેન્ડ બની ગયો કે દરેક માતા-પિતા ઈચ્છે છે કે પોતાનું બાળક કડકડાટ અંગ્રેજી બોલે અને ખૂબ મોટી નામના મેળવે ત્યારે આવી દોટ અને ઘેલછામાં કેટલાક માતા-પિતા પોતાના સંતાનોને જાણ્યે અજાણ્યે ગુજરાતી ભાષાથી દુર કરતા થયા છે,અંગ્રેજી આવડવું જ જોઈએ એ સારી વાત છે પરંતુ અંગ્રેજી આવડવાની હોડમાં આપણી માતૃભાષા વિસરાય નહી તેનું ધ્યાન માતા-પિતાએ ખાસ રાખવું જોઈશે.બાળકનું પ્રથમ સામાજિકરણ કરનાર શાળા માતા-પિતા હોય છે જેથી કરીને આ વાતનું ધ્યાન રાખવું એ દરેક માતા પિતાની એક મોટી જવાબદારી બને છે. માતૃભાષાની મનોસામાજિક અસરો મનોવૈજ્ઞાનિકોના મતે માતા-પિતા તેમના બાળકો સાથે વાત કરવા માટે જે ચોક્કસ ભાષાનો ઉપયોગ કરે છે તે તેમના બાળકને અન્ય લોકોના વિચારો સમજવામાં મદદ કરી શકે છે કારણ કે તેઓ તે જ ભાષા સમજી અને સાંભળીને મોટા થાય છે.માતાની બોલવાની ભાષાની અસર તેના બાળકના વિચારો અને લાગણીઓ પર થાય છે. બાળકને અન્ય લોકોના માનસિક જીવન સાથે સહાનુભૂતિ દર્શાવવાનું શીખવામાં માતૃભાષા મદદ કરે છે. બાળકના સામાજિક વિકાસ માટે માતૃભાષા મહત્વપૂર્ણ છે. માતૃભાષાબાળકોને અન્ય લોકો શું વિચારે છે અથવા અનુભવે છે તે સમજવા માટે સક્ષમ બનાવે છે.રાષ્ટ્રીય અને સામાજિક જાગૃતિ માતૃભાષા વગર ન થઈ શકે. માતૃભાષા દ્વારા કલા, કૌશલ્ય અને સાહિત્યને પુનર્જીવિત કરવું એ દેશ અને સમાજના શુભેચ્છકોની પ્રથમ ફરજ છે. કેટલાક લોકો માતૃભાષામાં બોલવાને અપમાનજનક માને છે. જે માતૃભાષાએ તેમને ઉછેર્યા છે, જેણે તેમને ખાવા-પીવા, સૂવાના અને બેસવાના શબ્દો શીખવ્યા છે, જેણે બાળપણમાં તેમની માતા પાસે ભોજન માંગવાનું શીખવ્યું છે, તેને અવગણવામાં તેમને શરમ નથી આવતી. તે આપણા માટે શરમની વાત છે. માણસનો માનસિક વિકાસ કે અભિગમનો પ્રસાર માતૃભાષા દ્વારા જ થઈ શકે છે. એ શક્તિ માત્ર માતૃભાષામાં છે, જે ભારતીય હૃદયમાં છુપાયેલી લાગણીઓ, વિચારો, લાગણીઓ અને રહસ્યોને યોગ્ય રીતે આકાર આપી શકે છે અને તેને શબ્દોમાં રજૂ કરી શકે છે. માતૃભાષા જાગૃતિનો માનસિક પ્રગતિ સાથે ગાઢ સંબંધ છે. સમાજ સુધારણા માટે સમાજે તેની માતૃભાષાનું જ્ઞાન સંપાદિત કરવું જોઈએ, જેના દ્વારા તેના વંશીય ઈતિહાસ અને પરંપરાનું જ્ઞાન મળે તે અત્યંત જરૂરી છે. માતૃભાષાથી મનોવૈજ્ઞાનિક સધિયારો મળતો હોય છે ભાષા અને સાહિત્યની જાગૃતિ એ વંશીય પ્રગતિના માર્ગનું પ્રથમ પગથિયું છે. આ જાગૃતિનો માનસિક પ્રગતિ સાથે ગાઢ સંબંધ છે. તે જાતિની પ્રગતિના માર્ગમાં અન્ય તમામ પ્રકારની ભૂલો અને અવરોધોને દૂર કરે છે. સમાજ સુધારણા માટે સમાજે તેની માતૃભાષાનું જ્ઞાન સંપાદિત કરવું જોઈએ, જેના દ્વારા તેના વંશીય ઈતિહાસ અને પરંપરાનું જ્ઞાન મળે તે અત્યંત જરૂરી છે. માતૃભાષા દ્વારા પ્રગતિ શક્ય છે સામાજિક અને રાષ્ટ્રવાદની ભાવના ધરાવતા ભાગ્યે જ એવા લોકો હશે કે જેમને પોતાની માતૃભાષા પ્રત્યે ઊંડો લગાવ હોય. માતૃભાષામાં જ્ઞાતિની બુદ્ધિને સંપૂર્ણ અને શ્રેષ્ઠ બનાવવાની શક્તિ છે. કેટલીક વિચિત્ર અને વિચિત્ર માનસિક અસરને...